ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોક પ્રિયસ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લા ના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતા નુ નામ જગદનીદેવી હતુ. તેમના પિતા ઈમાનદાર, સ્વાભિમાની, સાહસી અને વચનના પાક્કા હતા. આ ગુણ ચંદ્રશેખરને પિતા પાસેથી વારસામાં મળ્યો હતો.
ચંદ્રશેખરઆઝાદ 14 વર્ષ ની આયુમાં બનારસ ગયા અને ત્યા એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યા તેમણે કાયદા ભંગ આંદોલનમાં યોગદન આપ્યુ હતુ. 1920-21 ના વર્ષમાં તેઓ ગાંધીજીના અસહયોગ આંદોલન સાથે જોડાયા. તેઓ ધરપકડ થયા અને જજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા. જ્યા તેમને પોતાનુ નામ આઝાદ, પિતાનુ નામ સ્વતંત્રતા અને જેલને રહેઠાણ બતાવ્યુ. તેમણે 15 કોડાની સજા આપવામાં આવી દરેક કોડાસાથે તેઓ વંદેમાતરમ અનેમહાત્માગાંધીનીજય નો સ્વર બુલંદ કર્યો. ત્યાર બાદ તેઓ સાર્વજનિકરૂપથી આઝાદ કહેવાયા. ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદનુ જન્મસ્થાન ભાબરા હવે આઝાદનગર નારૂપમાં ઓળખવામાં આવે છે.
જ્યારે ક્રાતિકારી આંદોલન ઉગ્ર થયુ ત્યારે આઝાદ એ તરફ ખેંચાયા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ આર્મી સાથે જોડાયા. રામપ્રસાદબિસ્મિલના નેતૃત્વમાં આઝાદે કાકોરી ષડયંત્ર (1925)માં સક્રિય ભાગ લીધો અને પોલીસને આંખોમાં ઘૂળ નાખીને ફરાર થઈ ગયા.
17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખરઆઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધીક્ષકની ઓફિસને ધેરી લીધી અને જે વાજે.પી. સાર્ડર્સ પોતાના અંગ રક્ષક સાથે મોટરસાઈકલ પર બેસીની નીકળ્યા તો રાજગુરૂએ પહેલી ગોળી મારી . જે સાંડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઈકલપરથી નીચે પડી ગયા. પછી ભગતસિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા. જ્યારે સાંડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખરઆઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો. એટલુ જ નહી લાહોરમાં અનેક સ્થાન પરપોસ્ટર ચિપકાવી દીધા. જેના પર લખ્યુ હતુ – લાલાલજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. તેમના આ પગલાનુ સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યુ.
અલફ્રેંડપાર્ક ઈલાહાબાદમાં 1931માં તેણે રૂસની બૉલ્શેવિક ક્રાંતિની તર્જ પર સમાજવાદીક્રાંતિ નુ આહ્વાન કર્યુ. તેમણે સંકલ્પ કર્યો હતો કે તેઓ ન ક્યારેય પકડાશે અને ન બ્રિટિશ સરકાર તેમને ફાંસી આપી શકશે.
આ સંકલ્પને પૂરો કરવા માટે તેમણે 27 ફેબ્રુઆરી 1931 ના રોજ આ પાર્કમાં ખુદને ગોળી મારીને માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી.